Home Gujarat Jamnagar જામનગરમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા કરી સુત્રોચ્ચાર કરાયા

જામનગરમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા કરી સુત્રોચ્ચાર કરાયા

0

જામનગરમાં બિસ્મર રસ્તા અને ભૂગર્ભ ના કામના ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બર સામે ધરણા કરી સુત્રોચ્ચાર કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ સપ્ટેબર ૨૪, જામનગર શહેરમાં વરસાદ પછી રસ્તાની ખૂબ જ દુર્દશા થઈ છે, અને ખાડા રાજ ચાલી રહ્યું છે. શહેરના બિસ્માર રસ્તાને લઈને ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ઉપરાંત ભૂગર્ભ ગટરના કામ માં પણ મોટા પાયે ભ્રસ્ટાચાર થઈ રહ્યો છે. તેવા આક્ષેપો સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટી ના હોલના દ્વારે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા ઉપરાંત અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો વગેરે પોતાના હાથમાં પોસ્ટર લઈને ધરણા પર બેઠા હતા, અને ભાજપના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથે ના સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.નગરના રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તેમજ ભૂગર્ભ ગટરના કામમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમ જણાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version