Home Gujarat Jamnagar જામનગર સનસીટી -૧ માં નિશાચરોનો હાથફેરો : રોકડ સહિત ઉઠાવી ગયા

જામનગર સનસીટી -૧ માં નિશાચરોનો હાથફેરો : રોકડ સહિત ઉઠાવી ગયા

0

જામનગરના સનસિટી-૧ વિસ્તારમાં ચોરી નો બનાવ: સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ઓગસ્ટ ૨૪, જામનગરના સનસીટી વિસ્તારમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઇ પચાસ હજારની રોકડ રકમ અને સોનાના ચેઇન ની ચોરી કરી દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.આ અંગે મળતી માહિતી મુજબ, ગત રાત્રે, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પર સનસિટી-૧ સોસાયટીમાં રહેતા મુસ્તુફા સલીમભાઈ મેમણ ના રહેણાંક મકાનમાં રૂ.૫૦,૦૦૦ રોકડ તેમજ સોના ની ચૈન સહિત ની ચોરી ની ઘટના થી ખળભળાટ મચી ગયો છે.

આ ચોરી ના બાનવ ની જાણ થવાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં મુસ્તુફા સલીમભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version