Home Gujarat Jamnagar નિકાવામાં મકાન લખી આપવાની “ના” પાડતા નરાધમ પુત્રએ પિતાને માર માર્યો: ચકચાર

નિકાવામાં મકાન લખી આપવાની “ના” પાડતા નરાધમ પુત્રએ પિતાને માર માર્યો: ચકચાર

0

નિકાવામાં મકાન લખી આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પિતાને માર માર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ પોમાભાઈ કુંભાભાઈ કંટારીયા, ઉ.વ.52, રે. નિકાવા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.26-7-2021 ના આરોપી વિજય અરવિંદભાઈ કંટારીયા, રે. રાજડા ગામ વાળા કે જેઓ ફરીયાદી અરવિંદભાઈના પુત્ર થતા હોય અને ફરીયાદી અરવિંદભાઈ નું રાજડા ગામે આવેલ મકાન આરોપી વિજય એ પોતાના ખાતે કરી દેવાનું ફરીયાદી અરવિંદભાઈને કહેતા ફરીયાદી અરવિંદભાઈ એ મકાન ખાતે કરવાની ના પાડતા આરોપી વિજયએ ફરીયાદીને તથા સાહેદ વનિતાબેનને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી પોતાના હાથમા રહેલ લોખંડના બકલ વાળા પટ્ટા વડે ફરીયાદી અરવિંદભાઈને શરીરે જેમ ફાવે તેમ માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી તેમજ પટ્ટાનું બકલ ફરીયાદી અરવિંદભાઈને ડાબી આંખ ઉપર કપાળના ભાગે મારી લોહી લુહાણ કરી ફરીયાદી અરવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version