ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો..
શહેરના મોટાભાગના વિસ્તારોમાં વકરેલી માથાના દુખાવા સમી સમસ્યા સામે તંત્રવાહકો મુકપ્રેક્ષક
જામનગરમાં રખડતા ઢોરનો જીવલેણ આતંક , વધુ એક વૃદ્ધે જીવ ગુમાવ્યો બજાર પાસે વાણીયાવાડ વિસ્તારનો બનાવ , ઘરેથી નિકળેલા વેપારી વૃધ્ધને ઢોરે ઢીકે ચડાવ્યા , સારવાર પૂર્વે મોત..
દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૩ જૂન ૨૨.જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એક વખત જીવલેણ બન્યો છે.જેમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક વેપારી વૃધ્ધને ઘર નજીક જ વાણીયાવાડ વિસ્તાર પાસે રખડતા ઢોરે ઢીકે ચડાવતા બેભાન હાલતમાં તેઓને તુરંત હોસ્પીટલમાં લઇ જવાતા સારવાર પુર્વે તેનુ મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે . જામનગર સહિત આજુબાજુના સિમાડા પરના માર્ગો પર રખડતા ઢોરના અડીંગા હવે સામાન્ય બન્યા છે.