Home Gujarat Jamnagar નગર પ્રાથમિક શિક્ષિણ સમિતિએ ૨૯ પ્રવાસી શિક્ષકોને નિયમને ચાત્રી બારોબાર ગોઠવી દીધા

નગર પ્રાથમિક શિક્ષિણ સમિતિએ ૨૯ પ્રવાસી શિક્ષકોને નિયમને ચાત્રી બારોબાર ગોઠવી દીધા

0

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રવાસી શિક્ષકોની ભરતી કરી કરી હતી પરંતુ ગોઠવ્યા પોતાના ..જે કામ શાળા સમિતિએ કરવાનું હતું તે કામ જાતે કર્યુંપ્રવાસી શિક્ષકોની ભરતી જે તે શાળાની સ્કુલ મેનેજમેન્ટ કમીટીએ બેઠક બોલાવી લાયકાતવાળા ઉમેદવારની ચકાસણી કરવાની હોય છે અને તેનો ઠરાવ કરી શિક્ષણ સમિતિને મોકલવાનો હોય છે પરંતુ આ પ્રકરણમાં શિક્ષણ સમિતિએ પોતે જ નામ નક્કી કરી આચાર્યને મોકલી દીધા.!

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જુલાઈ ૨૨ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવેલી સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હતી . માટે નિયમ મુજબ જે તે શાળાના આચાર્યની બનેલી કમિટી શિક્ષકોની ભરતી કરે તેવું હોય છે , પરંતુ આમાં મલાઈ દેખાતા સત્તાધીશોએ પોતે નિયમ વિરુદ્ધ ભરતી કરી લીધી અને તેમાં 29 જેટલા લોકોને ભરતી કરીને જે – તે સ્કૂલમાં મોકલી આપ્યા અને આચાર્યોને આદેશ કર્યો આ લોકોને જોઈ લેશો હવે જ્યારે શિક્ષણ સમિતિ ભરતી કરે આચાર્ય કેવી રીતે તેનો વિરોધ કરી શકે ? હાલ તો ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આવનારા દિવસોમાં પ્રવાસી શિક્ષકોની ભરતીના મુદ્દે કડાકા-ભડાકાના એંધાણ વર્તાય રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version