Home Gujarat Jamnagar જામનગર મસિતીયામાં માતમ : અકરમાતમા ઘટનાસ્થળે ૩ લોકોના મોતથી અરેરાટી

જામનગર મસિતીયામાં માતમ : અકરમાતમા ઘટનાસ્થળે ૩ લોકોના મોતથી અરેરાટી

0

મસીતીયામાં માતમ : જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

  • મસીતીયાના એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોતથી અરેરાટી, ઇકો અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર ટક્કર

દેશ દેવી ન્યુઝ તા.૨ ઓક્ટોબર ૨૩ જામનગર જામનગર તાલુકાના મસીતીયા ગામનાના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવતા હતા ત્યારે જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકો અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનું પડિકુ વળી ગયું હતું અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ગઇકાલ મધરાતે થયેલા ગોઝારા અકસ્માતમાં સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણીઓ કાસમભાઈ ખફી, ભૂરાભાઈ ખફી તથા ભુટાભાઈ ખફી સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version