Home Gujarat Jamnagar કાલાવડના ટોડા ગામે ‘મીથુને’ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

કાલાવડના ટોડા ગામે ‘મીથુને’ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

0

કાલાવડના ટોડા ગામે ‘મીથુને’ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: oર. કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા ખેડૂત હેમતસિંહ નટુભા જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની મિથુન આદિવાસી નામના 35 વર્ષના એક યુવાને ગઈકાલે વાડીમાં આવેલા આંબલીના ઝાડ ની ડાળી માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે વાડી માલિક હેમતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને નીચે ઉતારી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

મૃતક શ્રમિક યુવાન માત્ર દોઢ મહિના પહેલાં જ પોતાના વતનથી ટોડા ગામે આવ્યો હતો, અને ખેત મજૂરી કામ કરતો હતો. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version