Home Gujarat Jamnagar જામનગરના સુવરડા ગામમાં હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ઝડપતી લેતી LCB

જામનગરના સુવરડા ગામમાં હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ઝડપતી લેતી LCB

0

જામનગરના સુવરડા ગામમાં હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ઝડપતી લેતી એલસીબી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯.: ફરીયાદી સામતભાઇ કાનાભાઇ લોખીલ રહે. સુવરડાગામ તા. જી.જામનગર વાળાની વાડીમાં ભાગીયા તરીકે થાનસીંગ બેગનીયાભાઇ બામણીયા રહે. કનેરાગામ અલીરાજપુર એમ.પી. વાળા પોતાની પત્ની તથા બાળકો સાથે રહી મજુરી કામ કરતા હોય, ગત તા.7/12/21 ની રાત્રીના સમયે આ થાનસીંગ બામણીયા રાત્રીના સમયે ચણાના વાવેતરમાં પાણી વાળતા હોય ત્યારે શકદાર રાજુભાઇ દેવીપુજકએ કોઇ પણ કારણસર થાનસીંગ સાથે માથાકુટ કરી લોખંડના પાવડા વડે હુમલો કરી માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા કરી મારી નાખવાનો પ્રયાસ કરી થાનસીંગનુ સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જી.જે.13 એઇ 460 કિ.રૂ. 15000/- નુ ચોરી કરી લઇ નાશી જવા અંગે ફરીયાદીએ પંચકોષી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ હતી.

આ કામે થાનસીંગ બામણીયાને પ્રથમ જામનગર સરકારી હોસ્પીટલમાં સારવાર આપેલ અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયેલ, જયા સારવાર દરમ્યાન થાનસીંગ મરણ જતા ખુનની કલમનો ઉમેરો કરવામા આવેલ.

એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાને આ ખુનના તથા ખુનની કોશીષના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય જેથી સ્ટાફના દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપી બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ.

આ ગુનામાં રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ કારાભાઇ વાધેલા રહે. સામખીયાળીગામ, નવજીવન હોટલ સામે, ઝુપડપટીમાં જી.કચ્છ ભુજ વાળો સંડોવાયેલ છે.

જેથી મજકુર આરોપીની સામખીયાળી ખાતે જઇ તપાસ કરતા આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ વાધેલા પોતાના રહેણાંક ઝુપડા માંથી મળી આવતા હસ્તગત કરી જામનગર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી થવા માટે પંચકોષી એ ડીવી પો.સ્ટે. ને સોપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા. પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી. કે.ક.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા. હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ્ જાડેજા. યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર. લખમણભાઇ ભાટીયા. સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version