Home Gujarat Jamnagar સહનશીલતા ખૂટી : જામનગર વાઘેર વાડામાં પરણીતાનો આપધાત

સહનશીલતા ખૂટી : જામનગર વાઘેર વાડામાં પરણીતાનો આપધાત

0

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા-પિતાને ઘેર આંટો દેવા આવેલી પરણિતાનો અગ્નિસ્નાન દ્વારા આપઘાત

  • બે વર્ષની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી પતિને મોબાઈલ ફોનમાં વાત કરતાં પતિએ ઠપકો આપ્યો હોવાથી અગ્નિ સ્નાન કરી લીધું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૪ જામનગર માં વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા પિતાના ઘેર આંટો દેવા આવેલી પરણીતાએ પોતાની કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી નું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. પોતાની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી પતિને મોબાઈલ ફોનમાં વાત કરતાં પતિએ ઠપકો આપ્યો હોવાથી માઠું લાગી આવતાં અગ્નિ સ્નાન કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર ના વાઘેરવાડા વિસ્તારમાં રહેતી અને માધાપર ભુંગામાં પરણાવેલી શેરબાનું હબીબભાઈ કુંગડા નામની ૩૫ વર્ષની વાઘેર પરણીતા કે જે પોતાના માતા પિતાને ઘેર બે વર્ષની નાની પુત્રીને લઈને આંટો દેવા માટે આવી હતી. જયાં તેની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી અને ઘરકામ કરવા દેતી ન હોવાથી શેરબાનુએ પોતાના પતિને મોબાઈલ ફોન થી વાત કરી હતી.

જેથી પતિએ ફોન માં ઠપકો આપતાં તેણીએ ફોન કાપી નાખ્યો હતો, અને માઠું લાગી આવતાં પોતાની કાયા પર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેથી તેણીને સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે સીટી એ . ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version