Home Gujarat Jamnagar જામનગરનાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના...

જામનગરનાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી

0

જામનગરનાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી

દેશ દેવી ન્યુઝ.જામનગર 1O. જામનગરના ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની બનીહરીફ વરણી થઇ છે. આ વરણીને લઇ લાલ પરિવાર તથા લોહાણા સમાજમાં ખુશી સાથે જીતુભાઇને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. વિશ્વ વિખ્યાત અને અખંડ રામધૂનથી સુપ્રસિધ્ધ એવા જામનગરના બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ એવા જીતુભાઇ લાલની બિનહરિફ વરણી કરવામાં આવી છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ સહિતની દરેક સિઝનમાં પણ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનની જ્યોત ચાલી રહી છે. આ વિશ્વ વિખ્યાત મંદિરના ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની વરણી થતાં રઘુવંશી સમાજ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા જીતુભાઇ લાલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version