Home Gujarat Jamnagar આવતીકાલ રવિવારના રોજ પણ જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે : જામનગર જનતાએ લાભ...

આવતીકાલ રવિવારના રોજ પણ જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે : જામનગર જનતાએ લાભ લેવા અનુરોધ

0

મહેસૂલ સેવાસદન જામનગર શહેર ખાતેનું જનસેવા કેન્દ્ર આવતીકાલ રવિવારના રોજ પણ કાર્યરત રહેશે

જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, હાલમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાના કારણોસર તેમજ અન્ય હેતુ માટે મામલતદાર કચેરી જામનગર શહેર દ્વારા પૂરા પાડવામાં આવતા અલગ-અલગ હેતુ અંગેના દાખલાઓ જેવા કે આવક/જાતિ/નોન ક્રિમિલેયર/ડોમીસાઈલ/ EWS(ઇ.ડબલ્યુ.એસ) વગેરે માટે લોકો વધુ પ્રમાણમાં કચેરીની મુલાકાત લેતા હોય અરજદારશ્રીઓને દાખલા સરળતાથી તેમજ સમયમર્યાદામાં મળી રહે તે માટે જાહેર જનતાના લાભાર્થે મામલતદાર કચેરી જામનગર શહેરના મહેસૂલ સેવા કેન્દ્ર, શરૂ સેકશન રોડ ખાતેનું જનસેવા કેન્દ્ર તા.૦૪-૦૭-૨૦૨૧ના રોજ રવિવારે પણ જાહેર રજામાં સવારે ૧૦:૩૦કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદારશ્રી, જામનગર શહેરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version