Home Gujarat Jamnagar જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ

જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ

0

જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૮ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ આજે ૭ મા જન ઔષધિ દિવસ ની ઉજવણી જામનગર શહેર ના જોલી બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી.જે કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લાભાર્થી ઓ સાથે સંવાદ કરવામા આવ્યો હતો.અને જન ઔષધિ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરી ને બિરદાવવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી પરંતુ શ્રેષ્ઠ દવા ઓ ના મુખ્ય લક્ષ્ય સાથે જરૂરિયાતમંદ લોકો ને બીમારી ના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે.હાલમાં જામનગર શહેર માં ૮ કેન્દ્ર આવેલા છે જે માટે સાંસદ દ્વારા જામનગર જિલ્લા માં વધુ ને વધુ આ પ્રકાર ના કેન્દ્રો ખુલે તથા મહત્તમ લોકો સુધી આ યોજના નો લાભ પહોંચાડવા માટે અગત્ય ના સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ માં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહી યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.ઉપરોક્ત કાર્યક્રમમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ ગુપ્તા, કોર્પોરેશન ના આરોગ્ય અધિકારી ડો.ગોરી,તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ પટેલ , ડીપીસી યજ્ઞેશ ખારેચા, જિલ્લા આઇઇસી અધિકારી નીરજ મોદી તથા જિલ્લા પંચાયત ના આરોગ્ય અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version