જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
- કાયદો વ્યવસ્થા અને પર્યાવરણની જાળવણી માટેની જામનગરવાસીઓને અપીલ કરી
- ગણેશ વિસર્જન નદીનાળાની જગ્યાએ મનપાએ ફાળવેલ જગ્યાએ કરવા અનુરોધ પણ કર્યાં
- વિડીયોના માધ્યમથી બાપુ દ્વારા વિર્સજન કરી લોકોને શુભ સંદેશો પાઠવ્યો હતો
દેશ દેવી ન્યુઝ જામનગર ૦૭ સપ્ટેમ્બર ૨૨ જામનગરનાનામદાર મહારાજા જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા પોતાના નિવાસસ્થાને પાણીના ટબમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને લોકોને તંત્રને વહીવટીતંત્રને સહકાર આપવા સંદેશો આપતો વીડિયો પણ જારી કરાયો હતો.
બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ કાયદો વ્યવસ્થા અને સરકારશના નિયમો,પર્યાવરણની રક્ષા અને જાહેરનામનો અમલ કરવા પણ અપીલ કરી હતી, સાથેસાથે પોલીસ,વહીવટીતંત્ર પણ લોકોને સાથ સહકાર આપે અને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી.
વધુમાં જામસાહેબ બાપુશ્રીએ જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાને પણ ભગવાન ગણપતિ બાપાને પાણીના ટબ માં વિસર્જન કરવામાં આવે છે નામદાર મહારાજા જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા વતી લોકોને સંદેશો પાઠવ્યો હતો