Home Gujarat Jamnagar જામનગરની પરણીતાને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી : ૬ સામે ફરીયાદ

જામનગરની પરણીતાને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી : ૬ સામે ફરીયાદ

0

જામનગર નજીક દરેડમાં રહેતી પરણિતાને સાસરીયાઓનો સીતમ: મારકુટ-ત્રાસ અંગેની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૪, જામનગર નજીક દરેડમાં રહેતી એક પરણીતાને તેમના સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસે તમામ છ સાસરીયાઓ સામે ગુનો નોધ્યો છે. જામનગર નજીક દરેડમાં માધવ ટાઉનશિપમાં રહેતી માનસી બેન વિશાલભાઈ કામળિયા નામની ૨૧ વર્ષની પરણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પતિ સહિતના સાસરીયાઓ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં વાંક કાઢી ગાળો આપી પોતાને મારકુટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.એન.એમ ઝાલાએ માનસી બેનના પતિ વિશાલ ભરતભાઈ કામળિયાઝ સસરા ભરત ગોવિંદભાઈ કામળિયા, સાસુ સરોજબેન ભરતભાઈ કામળિયા, દિયર હિરેનભાઈ ભરતભાઈ કામળિયા, મામાજી સસરા સાગરભાઇ બટુકભાઈ લાડવા, અને નાનાજી સસરા બટુકભાઈ લાડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version