Home Gujarat Jamnagar જામનગર પાથરણાંવાળાને પૈસાના બદલે પાઇપ ઝીંકાયા : નવાગામના બે શખ્સનું કારસ્તાન

જામનગર પાથરણાંવાળાને પૈસાના બદલે પાઇપ ઝીંકાયા : નવાગામના બે શખ્સનું કારસ્તાન

0

જામનગરમાં જી.જી હોસ્પિટલ પાસે પાથરણાં વાળા પર લોખંડના પાઈપ વડે હુમલો

  • પાણીની બોટલ ના પૈસા માંગવા જતાં બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ઓક્ટોબર ૨૩ જામનગર માં જી.જી. હોસ્પિટલ નજીક પાથરણું પાથરીને પાણી સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક યુવાન પર પાણીની બોટલના પૈસાની ઉઘરાણી ના પ્રશ્ને હુમલો ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં જલારામ પાર્ક વિસ્તારમાં રહેતો રાજેશ મેરૂભાઈ કોળી નામનો ૩૫ વર્ષનો યુવાન કે જેણે પોતાને લોખંડના પાઈપ વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાગામ ઘેડમાં રહેતા કરણ અનિલભાઈ પરમાર અને ગટુ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ફરિયાદી યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ફરીયાદી યુવાન પાસે બંને આરોપીઓએ પાણીની બોટલ માંગ્યા પછી પૈસા આપ્યા ન હોવાથી તેની ઉઘરાણી કરવા જતાં આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. સીટી-બી ડિવિઝન પોલીસે IPC ક્લમ ૩૨૫,૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગૂનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version