Home Gujarat Jamnagar જામનગરની ઠગ બેલડી ‘વસીમ’ અને ‘ઇકબાલ’એ વધુ એક સોની વેપારીને 7 લાખનો...

જામનગરની ઠગ બેલડી ‘વસીમ’ અને ‘ઇકબાલ’એ વધુ એક સોની વેપારીને 7 લાખનો ચૂનો ચોપડ્યો

0

જામનગરની ઠગ બેલડી વસીમ અને ઇકબાલએ વધુ એક સોની વેપારીને 7 લાખનો ચૂનો ચોપડ્યો!

બેંકમાંથી સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારી સાથે આચરી રૂા.7 લાખની છેતરપીંડી

આ પહેલા અન્ય એક સોની વેપારીને રૂા.8 લાખનો ધુંબો માર્યો’તો

વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરૂઘ્ધ બીજી ફરિયાદ નોંધાઇ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર O9. જામનગર શહેરમાં અઠવાડિયા પહેલા જ એક સોની વેપારીએ પોતાની સાથે રૂા.8 લાખની છેતરીપીંડી આચરી હોવાની બે શખસ વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આજે આ જ બંને શખસ વિરૂઘ્ધ વધુ એક સોની વેપારીએ રૂા.7 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે. બેંકમાંથી સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારી નિલેશભાઇ વ્રજલાલ માંડલીયાને રૂા.7 લાખ નો ધુંબો માર્યો હોવાનું સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે.આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ચાંદીબજાર લાલબાગ સામે વસવાટ કરતા અને સોની સુંદરજી મગનલાલ એન્ડ સન્સ નામથી પેઢી ધરાવતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયા જેવો સોનીકામનો ધંધો કરે છે તેને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરુદ્ધ કલમ-406, 420, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.આ બન્ને શખ્સોએ પોતાનુ ગીરવે પડેલ સોનુ છોડાવી સોનુ ફરીયાદી નીલેશભાઈને વેચી તેમાંથી નફા પેટે રૂપીયા નીલેશભાઈને આપવાનો ભરોસો આપી ફરીયાદી પાસેથી તા.28/2/2022 ના રોજ રોકડા 1,99,000/- તથા તા.08/03/2022 ના રોજ રોકડા 5,00,000 મળી કુલ 6,99,000/- મેળવી ફરિયાદી નીલેશભાઈને આજદિન સુધી સોનુ કે રૂપીયા 6,99,00 પરત આપેલ ન હોય અને ફરીયાદીએ આરોપીઓ પાસે અવાર નવાર રૂપીયાની માંગણી કરતા આરોપીઓએ ફરીયાદીને જણાવેલ કે હવે રૂપીયા નથી આપવા તમારાથી જે થાઇ તે કરી લેજો અને ચેક લઇને ફર્યા કરજો તેમ કહી ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ બાદ પી.આઈ.એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.નિશાંત હરિયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.જામનગર: જામનગરના બંને ઠગબાજ વસીમ અને ઇકબાલના પહેલા કાંડની વિગત મુજબ, જામનગરમાં ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં રહેતા અને ચાંદી બજારમાં મયુર જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરાએ પોતાની સાથે રૂપિયા 8 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા ઈકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઈ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓને અટકાયતમાં લઇ લીધા હતા.

જામનગરના સોની વેપારી કિરીટભાઈ રાધનપુરા પાસે આજથી એકાદ માસ પહેલા તા.3 માર્ચના રોજ ઈકબાલ ઈબ્રાહીમ જામનગરના જ વસીમભાઈ ખીરા સાથે દુકાને પહોંચ્યો હતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં પોતાનું અંદાજે સાડા દસ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ગીરવે મુકેલું છે, જેનું ઊંચું વ્યાજ ભરીને પોતે થાકી ગયો છે અને સોનુ છોડાવીને વેચી નાખવું છે, તેમ કહી સોની વેપારીને સાણસામાં લીધા હતા. તેના માટે 8 લાખ રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટેનું જણાવ્યું હતું.

સોની વેપારી 8 લાખની રકમ લઈને બંને આરોપીઓ સાથે અંબર ચોકડી નજીક આવેલી ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા અને આરોપીના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યાર પછી લીમડા લેનમાં આવેલી ફાઇનાન્સ કંપનીની પેઢીમાં સોનુ છોડાવવા જવા માટેનું કહીને બંને આરોપીઓ પોતાના સ્કૂટરમાં રફુચક્કર થઈ ગયા હતા.સોની વેપારી દ્વારા બંનેની શોધખોળ શરૂ કરાઇ હતી અને તેઓના ઘરે પણ પહોંચ્યા હતા. પરંતુ આરોપી ઇકબાલની પત્નીએ ઘરમાંથી પણ જાકારો આપી દીધો હતો. આખરે સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, સાથો સાથ સાઇબર ક્રાઈમ સેલને પણ જાણ કરવામાં આવી હતી જેથી સાઇબર ક્રાઇમ સેલના પીઆઈ પી.પી. ઝા તેમજ સીટી-એ ડિવિઝનના પીઆઈ મહાવીરસિંહ  જલુ વગેરેએ તાત્કાલિક અસરથી ખાતું ફ્રીઝ કરાવી દઇ 8 લાખ રૂપિયાની રકમ સ્થગિત કરાવી દીધી હતી. જેથી આરોપી તે રકમ ઉપાડી શક્યો નથી. જે સમગ્ર મામલે આખરે રવિવારે મોડી સાંજે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બન્ને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને ફસાવવાના ભાગરૂપે આ કારસ્તાન રચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલ બંને તપાસ સીટી-એ ના પોલીસ ઈન્સપેક્ટર મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ સુંદરજી મગનલાલ એન્ડ સન્સ નામથી પેઢી ધરાવતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયાની ફરિયાદ પરથી આરોપી ઇકબાલ ખીરા અને વસીમ ખીરા વિરૂદ્ધ ઇ.પી.કો કલમ -૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગૂનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version