જામનગરનાં એસ.પી. પ્રેમસુખ ડેલુ નો માનવતાવાદી અને સરાહનીય અભિગમ
-
ચાલુ ફરજે મૃત્યુ પામનાર પોલીસકર્મીનાં વારસદારોને તાકીદે પેન્શન સહિતનાં હક્ક હિસ્સા અપાવ્યા
-
એસ.બી.આઇ. બેંક તરફથી પણ મૃતક ના પરિવારને એક કરોડની સહાયનો ચેક અપાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જૂન ૨૪, જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુરસિંહ રણજીતસિંહ જાડેજા ગત જાન્યુઆરી મહિનામાં ફરજ દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ પામતાં તેમનાં પરીવાર પર આભ તૂટી પડ્યું હતું. આ સમયે જિલ્લા પોલીસવડા દ્વારા કમભાગી પરીવારને સાંત્વનાની સાથે જ ફેમિલી પેન્શન સહિતનાં તેમનાં આર્થિક હક્ક -હિસ્સા તાત્કાલિક મળે એ માટે પણ પ્રયાસો સાથે માનવતાવાદી અભિગમ અપનાવાયો હતો.