Home Gujarat Jamnagar જામનગર : અભ્યાસ ક્રમમાં શ્રીમદ ભગવત ગીતા નો સમાવેશ બદલ શૈક્ષિક સંઘનો...

જામનગર : અભ્યાસ ક્રમમાં શ્રીમદ ભગવત ગીતા નો સમાવેશ બદલ શૈક્ષિક સંઘનો આવકાર

0

અભ્યાસ ક્રમ માં શ્રીમદ ભગવત ગીતા નો સમાવેશ બદલ શૈક્ષિક સંઘ નો આવકાર અને વિરોધ ને વખોડતું આવેદન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ જુલાઈ ૨૪ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના માર્ગદર્શક મુજબ ગત તાં. ૨૦ અને શનિવાર નાં સાંજે જામનગર કલેકટર કચેરી ખાતે શ્રીમદ ભગવત ગીતાનો શિક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો તે માટે તથા આ અભ્યાસક્રમને ચાલુ રાખવા, તેમજ શ્રીમદ્ ભગવત ગીતાના અધ્યાયઓને અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માની સમર્થન જાહેર કરતું અને આ બાબતે અમુક લોકો દ્વારા થયેલ વિરોધને વખોડતું આવેદનપત્ર જામનગર કલેકટર ને પાઠવવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ટીમ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, શહેર અધ્યક્ષ મનહરલાલ વરમોરા, જિલ્લા ના મંત્રી નાથાભાઈ કરમુર, શહેરના સંગઠન મંત્રી રામગોપાલભાઈ મિશ્રા,શહેર મહિલા ઉપાધ્યક્ષ મોતીબેન કારેથા, જિલ્લા કોષાધ્યક્ષ માધવજીભાઈ ચાવડા, જિલ્લા આંતરિક ઓડિટર અને લાલપુર તાલુકાના અધ્યક્ષ ધનજીભાઈ બાંભવા,જામનગર તાલુકાના મંત્રી ધારશીભાઈ ગડારા લાલપુર તાલુકાના સંગઠન મંત્રી ચિરાગભાઈ ઝાલા તથા કોષાધ્યક્ષ ઈશિતભાઇ ત્રિવેદી તથા શહેરના કાર્યાલયમંત્રી દિપકભાઈ પાગડા શહેર ઉપાધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા વગેરે તથા જિલ્લા, શહેરના જવાબદારો જોડાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version