Home Gujarat Jamnagar જામનગર રીવાબા જાડેજાને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અયોધ્યા યાત્રા માટે...

જામનગર રીવાબા જાડેજાને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અયોધ્યા યાત્રા માટે ભવ્ય રેલી સાથે અપાઇ વિદાય

0

ધર્માચાર્યો અને કૃષિ મંત્રી તેમજ પૂર્વ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ

  • ધારાસભ્ય રીવાબા જાડેજાને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અયોધ્યા યાત્રા માટે રેલી સાથે અપાઇ વિદાય

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪ ‘છોટીકાશી’ જામનગરનાં ઉત્તર ૭૮- વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય રીવાબા જાડેજાને અયોધ્યાનાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથી બનવા આમંત્રણ મળ્યું છે ત્યારે અયોધ્યા યાત્રા પહેલા તેમને વિશાળ રેલી સહિતનાં કાર્યક્રમ વડે વિદાય આપવામાં આવી હતી. હિંમતનગર વિસ્તારમાં આવેલ શ્રીરામ મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરનાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઇ ભટ્ટ , સાસક પક્ષના નેતા આશિષ જોષી વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી સહિત શ્રીરામ પૂજન કરી રીવાબાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ‘છોટીકાશી’ નાં પ્રતિનિધિ રૂપે સપ્તપુરી માંની એક એવી અયોધ્યાપુરીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનાં ગૌરવ બદલ અભિનંદન પાઠવાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version