Home Gujarat Jamnagar જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનુ આયોજન કરાયું

જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનુ આયોજન કરાયું

0

જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનુ આયોજન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જૂન ૨૪, જામનગર પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક.પ્રેમસુખ ડેલૂ ની અધ્યક્ષતામાં જામનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં લોન મેળવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ લોન મેળામાં વધારેમાં વધારે પ્રજાજનો હાજર રહે અને સરળતાથી લોન મેળવવા અંગે આપવામાં આવતી માહિતીઓથી તથા લોન મેળવવા માટે તમામ રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક તથા જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફથી માહિતગાર કરવામાં આવ્યા હતા, તથા સ્થળ પર જ લોન પ્રક્રિયા કરવા માટે બેંક કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.

જામનગર શહેર જિલ્લાના જરૂરીયાતમંદ નાગરિકોને સરળતાથી લોન મેળવવા અંગેની માહીતી મળી રહે, અને સરકાર ના ધારા ધોરણ મુજબની લોન મળી રહે, તે હેતુથી આ બેંક લોન ધિરાણ કેમ્પનુ પોલીસ હેડ કવાર્ટર જામનગર ખાતે આયોજન કરાયું હતું, જે લોન મેળામાં આશરે-૪૦૦ જેટલા આસામીઓ હાજર રહયા હતા.

જે પૈકી ૭ વ્યક્તિ ને સ્થળ પરજ લોન-ધિરાણ ના ચેક અપાયા હતા, જેમાં(૧) શૈલેષભાઇ રાધવજીભાઈ વસોયા – સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક તરફથી રૂપિયા ત્રણ લાખ નો ચેક અપાયો હતો. (ર) રધુવિરભાઇ ભીખુભાઇ ગોહિલ ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૨,૨૦,૦૦૦,( ૩) રાજુભાઇ હિરાભાઇ પરમારને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે .રૂ. ૨,૯૭,૦૦૦, (૪) દિપભાઇ પાલાભાઈ માતંગ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે .રૂ. ૨,૯૭,૦૦૦, (૫) સોનીયાબેન ભરતભાઈ ખાનીયા ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૫૦,૦૦૦, (૬) શોયબઅખ્તર શોકતઅલી કેર ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૧,૧૫,૦૦૦ અને (૭) અયુબભાઇ હાજીભાઇ ભગાડને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક મારફતે.રૂ. ૧,૧૫,૦૦૦ના ધિરાણ નો ચેક અપાયો હતો.આમ આજના લોન મેળા માં ઉપરોકત સાત અરજદારોને કુલ રૂ.૧૩,૯૪,૦૦૦ ની લોન-ધીરાણ ચેક દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાજર રહલા આસામીઓની લોન મંજુર અંગેની પ્રક્રિયા બેન્ક અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version