Home Gujarat Jamnagar જામનગરમાં પ્રેમ પ્રકરણમાં બઘડાટી:  પ્રેમિકાના પિતા ઉપર અને પ્રેમીના મામા પર હુમલો

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં બઘડાટી:  પ્રેમિકાના પિતા ઉપર અને પ્રેમીના મામા પર હુમલો

0

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં બઘડાટી:  પ્રેમિકાના પિતા ઉપર અને પ્રેમીના મામા પર હુમલો

  • પ્રેમપ્રકરણ કારણભૂત : સામસામી ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૦ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં ગોકુલ નગર શેરી નંબર-8 માં રહેતા અને કડિયા કામ કરતા અશોકભાઈ મનજીભાઈ આરઠીયા નામના 48 વર્ષના કોળી યુવાને પોતાના ઉપર જીવલેણ હુમલો કરવા અંગે ગોકુલનગર નજીક દલવાડી નગરમાં રહેતા જગદીશ જીવણભાઈ ડાભી અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયો છે. જેને માથામાં કુહાડી નો ઘા વાગ્યો છે, તેમજ લોખંડના એંગલના ઘા લાગવાના કારણે તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર અશોકભાઈ આરઠીયા ની પુત્રી, કે જેણે આરોપી જગદીશ ડાભીના ભાણેજ રવિ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેના મનદુ:ખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જ્યારે સામા પક્ષે ગોકુલ નગર દલવાડી વાસમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા જગદીશ જીવણભાઈ ડાભી એ પોતાના માથા ઉપર કુહાડાનો ઘા ઝીકી ગઈ ખૂનની કોશિશ કરવા અંગે અશોક મનજી આરઠીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે, અને તેને પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

હુમલાખોર આરોપી અશોક આરઠીયાની પુત્રી કે જે ફરિયાદી જગદીશ ડાભી ની રિક્ષામાં અવજવર કરતી હતી, અને અગાઉ જગદીશના ભાણેજ રવિ સાથે આરોપીની પુત્રીનું સગપણ થયું હતું. પરંતુ તે સગપણ ફોક કરી નાખ્યું હોવાથી બંને વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. પરંતુ યુવક યુવતી બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેના મન દુ:ખના કારણે પોલીસમાં જાહેર થયું છે. સીટી સી. ડિવિઝન પોલીસમાં બંને પક્ષે સામ સામે હત્યા પ્રયાસ અંગેની ફરિયાદો નોંધાવાઈ છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version