સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજાની બાતમીને મળી મોટી સફળતા : પ્રસંનનીય કામગીરીજામનગર સહિત અનેક શહેરોમાં ચોરીને અંજામ આપનાર બેલડીની ધરપકડજામનગર,મોરબી,જુનાગઢ,રાજકોટ,દેવભુમી દ્વારકા સહિત અનેક શહેરમાં કરેલ ચોરીનો કુલ રૂા.2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયોદેશ દેવી ન્યુઝ જામનગર 10. ગત તારીખ ૯-૦૯-૨૧ ના રોજ દિવસ દરમ્યાન ફરીયાદી જગદીશભાઇ મળીયાભાઇ અરાવા રહે નાઘેડી તા જી – જામનગર નાઓના રહેણાંક મકાનમાંથી ચાંદીના કડા , કંદોરો , ઝાંઝરી તથા તાગલી મળી કિ.રૂ .૬૦,૦૦૦ / -ની ચોરીનો બનાવ બનેલ હતો જે ગુનો વણશોધાયેલ હતો.
જામનગર જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા નિતેશ પાંડેયએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓને મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના કરેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ. ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા બી.એમ.દેવમુરારી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજા ,નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થી હકિકત મળેલ કે , જામનગર , તથા અન્ય જીલ્લામાં અલગ અલગ સ્થળે દિવસ દરમ્યાન ચોરી આયરવામા ( ૧ ) રાજેશ રમેશભાઇ જીંજુવાડીયા ( ૨ ) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર, જામનગર નાઓની સંડોવણી હોવા અંગેની ખાનગી રાહે હકિકત મળેલ કે , દરેડ ગામના ખોડીયાર માતાજીના મંદિર પાસે બન્ને ઇસમો ઉભા હોવાની હકિકત મળતા નીચે મુજબના બન્નેને હસ્તગત કરવામા આવેલ છે.મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ. કે.કે.ગોહિલ ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.