Home Gujarat Jamnagar જામનગર : લાલપુરના રંગપરની 20 લાખની શંકાસ્પદ લૂંટમાં ફરીયાદીનો ભાંડો ફૂટી ગયો

જામનગર : લાલપુરના રંગપરની 20 લાખની શંકાસ્પદ લૂંટમાં ફરીયાદીનો ભાંડો ફૂટી ગયો

0

જામનગર : લાલપુરના રંગપરની ચકચારી લુંટમાં ફરિયાદી જ નિકળ્યો આરોપી :કરજ વધી જતા વેપારીએ કર્યુ રૂા.20 લાખની લુંટનું તરકટ

  • એલસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો
  • જમીનમાં દાટેલા રૂા.10 લાખ પંચની હાજરીમાં કબ્જે કર્યાં

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. 22 જૂન 23 જામનગરના લાલપુર તાલુકાના રંગપરની ચકચારી રૂા.20 લાખની લુંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો છે, કરજ વધી જતા વેપારીએ કર્યુ રૂા.20 લાખની લુંટનું તરકટ આચર્યુ હતું. જામનગર એલસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં આ લુંટનો ભેદ ઉકેલી દીધો છે.

લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતાં બિયારણનો કમિશનથી ધંધો કરતા યુવાનને બુધવારે બપોરના સમયે બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાના બનાવમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ફરિયાદી ઉપર શંકા જતા અને ઘટનાક્રમની વિગતો મેળવતા આકરી પૂછપરછ કરતા ફરિયાદીએ આર્થિક સંકળામણને કારણે દેવુ વધી જતા લૂંટનું નાટક રચ્યાની કેફિયત આપી હતી.ગુરૂવારે બપોરે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ યોજયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી વિગતો મુજબ લાલપુર તાલુકાના રંગપર ગામમાં સુમરા વિસ્તારમાં રહેતો અને ખેત પેદાશની વસ્તુઓ તથા બિયારણનો કમિશનથી વ્યવસાય કરતો અવેશ દોસમામદ ખીરા નામનો યુવાન બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેના ગામ નજીક કાચા રસ્તા પરથી બાઈક પર જતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ યુવાનને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલ 20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની જાણ કરાતા મેઘપર પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી નાકાબંધી કરી હતી. પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં ફરિયાદીના નિવેદનમાં શંકા જતા આ તપાસ Dysp ડી.પી. વાઘેલા, પ્રોબેશન Dysp એન.બી. ગોરડિયા, એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, મેઘપર PSI યશપાલસિંહ બી. રાણા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં ફરિયાદીના નિવેદનમાં જ પ્રાશ મળતો ન હોવાથી પોલીસે અવેશની પૂછપરછ હાથ ધરતા પોલીસ પાસે ભાંગી પડયો હતો અને લૂંટનો બનાવ બન્યો જ ન હોવાથી કેફીયત આપી હતી. જેમાં અવેશે આર્થિક સંકળામણના કારણે દેવું વધી જવાથી ઉઘરાણી કરનારા લોકોને રૂપિયા ન આપવા પડે તે માટે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હતો અને પોતાની જાતે જ થેલો બનાવ વાળી જગ્યાએ ફેકી દીધો હતો તથા પોતાની હાથે જ આંખમાં મરચાની ભુકી જાય નહીં તે રીતે છાંટી હતી અને તેની પાસે થેલામાં 20 લાખ રૂપિયા હતા જ નહીં. થેલામાં રૂા.10 લાખ હતા તે જમીનમાં ખાડો કરીને સંતાડી દીધા હતાં. પોલીસની આકરી પૂછપરછમાં 20 લાખના લૂંટના ફરિયાદીએ જ જમીનમાં દાટેલા રૂા.10 લાખ પંચની હાજરીમાં કબ્જે કરી તપાસ આરંભી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version