Home Gujarat Jamnagar જામનગર : મારા મમ્મી-પપ્પાને ”ઈન્સાફ” આપજો : પ્રેમી યુવાનનો આપધાત : લખી...

જામનગર : મારા મમ્મી-પપ્પાને ”ઈન્સાફ” આપજો : પ્રેમી યુવાનનો આપધાત : લખી સુસાઇટ નોટ

0

જામનગરમાં પ્રેમપ્રકરણમાં યુવાને જિંદગી ટુંકાવી

  • ગોકુલનગર વિસ્તારના યુવાને રાજકોટ રહેતી પ્રેમિકાના પિતાએ પોલીસ ફરયાદ કરતાં જામનગરના પ્રેમી યુવાને ભર્યુ અંતિમ પગલું
  • સુસાઇટ નોટમાં ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કરી યુવાને ગળાફાંસો ખાદ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૩૦ ઓગસ્ટ ૨૩ જામનગરમાં ગોકુલ નગર નજીક મથુરા સોસાયટી શેરી નંબર 14માં રહેતા અનિલ મનસુખભાઈ બાબરીયા નામના 22 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ફાળીયુ બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતક ના પિતા મસનસુખન નાથાભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન કે જેને રાજકોટની ઈશ્વરી નામની તરુણી સાથે પ્રેમ થયો હોવાથી મરનાર સગીરાનુ અપહરણ કરી ગયો હતો. જેથી પ્રેમિકાના પિતાએ રાજકોટ, પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને મરણ જનારને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર કરાયું છે પ્રેમી યુવાન સગીરાને રાજકોટ થી ઉઠાઈ ગયો હતો, તે દરમિયાન પ્રેમિકા ની ઉંમર નાની હોવાથી તેના પિતા દ્વારા રાજકોટમાં પોલીસ કેસ, કરવામાં આવ્યો હતો અને તેમાં યુવાનને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હોવાથી મનમાં લાગી આવતા છે તે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version