Home Gujarat Jamnagar જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી ખાતે સફાઇ કરવામાં આવી

જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી ખાતે સફાઇ કરવામાં આવી

0

સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી ખાતે સફાઇ કરવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ સપ્ટેમ્બર ૨૪ સપ્ટેમ્બર, સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરીમાં સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમ, બારીઓ, ટ્યુબલાઇટ, પંખા, લોબી વગેરેની સફાઇ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. આ અભિયાન ૩૧મી ઓક્ટોબર સુધી ચાલશે. સ્વચ્છતા હી સેવા અભિયાનનો જામનગર જિલ્લામાં પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version