Home Gujarat Jamnagar વેપારીના હાથ ઉછીના કેસમાં કૃષ્ણનગરમાં રહેતા આસામીને 5 લાખ ચૂકવવા અને 6...

વેપારીના હાથ ઉછીના કેસમાં કૃષ્ણનગરમાં રહેતા આસામીને 5 લાખ ચૂકવવા અને 6 માસની સજા ફટકારતી જામનગર અદાલત

0

જામનગરના વાલકેશ્વરીમાં રહેતા વેપારી પાસેથી નાણા ઉછીના લીધા હતા: શહેરમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૬ માસનીની સજા : 5 લાખ વધુ ચૂકવવા હુકમ

આરોપી મશરીભાઈ છૈયાએ પતિ પત્નિના જોઈન્ટ એકાઉન્ટનો ચેક આપ્યો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર 29. જામનગર શહેરની વાલ્કેશ્વરીમાં રહેતા જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી નામના વેપારી પાસેથી તેના મિત્રએ રૂ 5 લાખ ઉછીના લઇ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો . જે ચેક રીટર્ન થતા કેસ ચાલી જતા અદાલતે પરેશ મશરીભાઈ છૈયા નામના શખસને ૬ માસની કેદની સજા અને રૂ . 5 લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે . આમ ૬ માસની સજા સાથે રૂપિયા 5 લાખ ચૂકવવા આદેશ કરાયો છે.જામનગરમાં જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી નામના વેપારી પાસેથી તેમના મિત્ર પરેશ મશરીભાઈ છૈયાએ રૂ . 5 લાખ ઉછીના લીધા હતાં આ રકમની પરત ચૂકવણી માટે કષ્ણનગર બ્રાહ્મણ બોડીંગ પાસે રહેતા પરેશભાઈ મશરીભાઈ છૈયાએ જોઈન્ટ એકાઉન્ટનો ચેક આપ્યો હતો તે ચેક અપૂરતા નાણાના કારણે બેંકમાંથી પરત ફર્યો હતો આથી કાયદા મુજબ નોટીસ ફટકારવામાં આવી હતી આમ છતાં પરેશ મશરીભાઈ છૈયાએ હાથ ઉછીની રકમ નહીં ચુકવાતા જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણીએ જામનગરની અદાલતમાં ફરિયાદ કરી હતી .આ કેસ ચાલી જતાં ફરિયાદી ના વકીલ જયેન્દ્રસિંહ ઝાલાની ધારદાર દલીલો ધ્યાને લઈ ન્યાયાધીશે આરોપી મશરીભાઈ છૈયાને તકસીરવાન ઠરાવી ૬ માસ કેદની સજા અને ચેકની રકમ રૂ 5 લાખ ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ કામે ફરીયાદી જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન . ઝાલા તથા નિરલ વી . ઝાલા તથા હરપાલસિંહ પી . ઝાલા તથા સત્યજીતસિંહ પી જાડેજા રોકાયેલા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version