Home Gujarat Jamnagar જામનગર મયુરનગર માં CCTV કેમેરા લાગાડવા મામલે ભંગારના વેપારીને લમધાર્યો

જામનગર મયુરનગર માં CCTV કેમેરા લાગાડવા મામલે ભંગારના વેપારીને લમધાર્યો

0

જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવતાં પાડોશી વીફર્યા

  • પાડોશી મકાન માલિક અને તેના સાગરીતે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ માર્ચ ૨૪, જામનગર માં મયુર નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે સીસીટીવી કેમેરા લગાવવા બાબતે તકરાર થઈ હતી, અને એક પાડોશી ઉપર બે શખ્સો એ હુમલો કરી ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા નિખિલ હરેશભાઈ સવનિયા નામના ૩૨ વર્ષના પ્રજાપતિ યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખવા અંગે પાડોશમાં રહેતા જયેન્દ્રસિંગ તેમજ તેના સાગરીગ ભીખુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મકાનમાલિક નિખિલભાઇ કે જાણે પોતાના મકાનની આજુબાજુની દેખરેખ થઈ શકે તેના અનુસંધાને પોતાના મકાનની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જે પડોશી આરોપીને પસંદ નહીં પડતાં ઉશ્કેરાઈ જઇ આ હુમલો કર્યાની અને ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version