Home Gujarat Jamnagar જામનગર ભૂતનાથ વડાપાઉંનો વેપારી ૧૫ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો

જામનગર ભૂતનાથ વડાપાઉંનો વેપારી ૧૫ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો

0

જામનગર માં દાંડિયા હનુમાન મંદિર સામે આવેલા ભૂતનાથ વડાપાઉં નો વેપારી ૧૫ જેટલા વ્યાજખોરો ની ચૂંગાલમાં ફસાયો

  • પોતાના ધંધા માટે ૪૦ લાખ રૂપિયા લીધા બાદ ૮૧ લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા

  • વેપારી યુવાનનું એકટીવા સ્કૂટર તેમાં તેના પિતાનું ટ્રેક્ટર પડાવી લીધા બાદ એક મકાનના દસ્તાવેજ પણ લખાવી લીધાની પોલીસ ફરિયાદ

  • આરોપી : -(૧) કનકસિંહ જાડેજા  (૨) જયરાજસિંહ કનકસિંહ જાડેજા (૩) જયદીપસિંહ જાડેજા   (૪) યોગેશ કોળી (૫) દુશ્યંતસિંહ ઝાલા (દરબાર) (૬) અભીરાજસિંહ (૭) અર્જુનસિંહ જાડેજા (૮) જયરાજસિંહ જાડેજા (૯) હરપાલસિંહ ઝાલા  (૧૦) સાદીકભાઈ સફીયા (૧૧) અતુલ મેઘાણંદભાઈ ગઢવી (૧૨) સલીમભાઈ (૧૩) જી-ફાઈનાન્સ ના માલિક (૧૪) રાજ આહિર (૧૫) વિજયસિંહ રાઠોડ રહે- જનતા ફાટક

દેશ દેવી નયૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૪ જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ ૧૫ લોકો પાસે થી કુલ આશરે ૪૦. લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.તે માટે આશરે ૮૧ લાખ ૪૪ હજાર ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે ૧૫ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોતાનું સ્કૂટર અને સસરા નું ટ્રેકટર પચાવી પાડવા અને પિતાના મકાનનો દસ્તાવેજ લખાવી લઇ અલગ અલગ ચેક પરત કરાવી તે અંગે ની ફરિયાદ પણ પોતાની સામે કરવામાં આવી હોવા નું અને સાસરા નાં.ઘર મા તોડફોડ કરવા ની ફરિયાદ કરી છે.

મૂળ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને જામનગર ની જી. જી. હોસ્પિટલ સામે ભુતનાથ વડાપાઉં નામથી દુકાન ચલાવતા કમલેશ રાજુભાઈ સોલંકી એ પોતાને ધમકી આપવા અને પોતે આપેલા ચેકોમાં મન ઘડત રકમ ભરીને તે બેંકમાંથી પરત કરાવીને પોતાની સામે ચેક પરત ફરવા ની ફરિયાદ કરવા તેમજ પોતાનું સ્કૂટર અને પોતાના સસરા ની માલિકી ના ટ્રેક્ટર નો બળજબરીથી કબજો મેળવી લેવા અને સસરાના ઘરમાં તોડફોડ કરવા અંગે કનકસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, યોગેશ કોળી, દુષ્યંતસિંહ ઝાલા ,અભિરાજસિંહ, અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, સાદિક રફિયા, સલીમ, અતુલ મેઘાણંદ ગઢવી, જી ફાયનાન્સ નાં માલિક, રાજ આહીર, અને વિજયસિંહ રાઠોડ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે.

પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયદે નાણાની ધિરધાર કરવા સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી કમલેશભાઈ સોલંકી ને ધંધામાં નાંણા ની જરૂરિયાત ઊભી થતાં તેમણે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજ દરે આશરે ૪૬ લાખથી વધુની રકમ વ્યાજ લીધી હતી અને તેમાં કુલ ૮૧ લાખ થી વધુ રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ રકમ માંગવામાં આવતી હતી અને તે માટે ધાક ધમકી આપવા માં આવતાં આખરે તેણે આ.અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવી છે .જેની તપાસ પો.સબ.ઇન્સ.ઝેડ.એમ. મલેક ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version