Home Gujarat Jamnagar લાલપુરના રાફુદળમાં ભાઇએ બહેનને મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની “ના” પાડતા કિશોરીએ...

લાલપુરના રાફુદળમાં ભાઇએ બહેનને મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની “ના” પાડતા કિશોરીએ ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું: સતવારા સમાજમાં અરેરાટી

0

રાફુદળમાં કિશોરીએ ગળેફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

નાના એવા ગામમાં બનાવ બનતા અરેરાટી સતવારા સમાજમાં શોક.

ભાઈએ બહેનને મોબાઇલ પર વાતચીત કે મેસેજ નહીં કરવાનું કહેતા માઠું લાગી જતા બહેને કર્યો આપઘાત

જામનગર: લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે મેઈન બજારમાં રહેતા જેન્તીલાલ મનજીભાઈ સોનગરા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રીઘ્ધીબેન જેન્તીલાલ સોનગરા, ઉ.વ.16, તેના મોબાઈલ ફોન પર કોલ તથા મેસેજ થી વાતચીત કરતી હોય જેની જાણ તેના ભાઈ હિરેનને થઈ જતા તેણે આ બાબતની વાત તેના કાકા હિતેશને કરેલ હોય તેમજ અગાઉ પણ રીઘ્ધી ને મેસેજ તથા કોલ આવતા હોય જેની તેમને ખબર પડી ગયેલ હોય જેના કારણે રિઘ્ધીએ પોતાના ઘરે કોઈ ન હોય તે વખતે મકાનમાં રૂમની છત હુકમાં સાડીનો છેડો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે. હાલ તો આ બનાવે નાના એવા ગામમાં સારી એવી ચર્ચા જગાડી છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version