જામનગરમાં આડેધડ ઘોડેશ્વારી કરાવતા ઘોડાગાડી વાળાઓ સામે તંત્ર ની લાલ આંખ
-
પાંચ ઘોડા ગાડીઓ કબ્જે કરી લઈ બેડેશ્વર ના ઢોરના ડબ્બામાં મોકલી દેવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૪, જામનગર શહેરમાં ગેમઝોન બંધ કરાવ્યા પછી ઘોડાગાડી વાળાઓનો ત્રાસ વધી ગયા પછી જામનગર મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરી હતી, અને પાંચ ઘોડાગાડી કબ્જે કરી લીધી છે.