Home Gujarat Jamnagar જામનગરમાં વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા ગ્રાહકના કનેક્શન થશે કટ

જામનગરમાં વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા ગ્રાહકના કનેક્શન થશે કટ

0

જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં વીજબિલના બાકી રોકાતા નાણાં વસૂલવા માટેની વિજતંત્ર દ્વારા ઝુંબેશ

  • વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા વીજ ગ્રાહકોને ત્યાં રિકવરી માટે ની ટુકડીને દોડાવાઇ વીજ કનેક્શન કટ સહિતની કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા તા ૬ માર્ચ ૨૪, જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા વીજબિલના નાણાં નહીં ભરનારા વીજ ગ્રાહકો સામે પગલાં લેવા માટેની કાર્યવાહીનો આજથી પ્રારંભ કરાયો છે.

આગામી ૩૧ માર્ચ ને અનુલક્ષીને વીજબીલના નાણાની રિકવરી ની ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા વીજ ગ્રાહકોઝ કે જે લોકોની લાંબા સમયથી વીજબિલની રકમ બાકી છે, તેવા વીજ ગ્રાહકો ના ઘેર ઘેર ચેકિંગ ટુકડીને દોડાવવામાં આવી રહી છે. તેઓ પાસેથી સ્થળ પર જ બિલના નાણાંની વસુલાત કરવા માટેની કામગીરી હાથ કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ નાણાં ભરવામાં ઇન્કાર કરે, તો તેઓના વીજ જોડાણ કટ કરી વિજ મીટર ઉતારી લેવા માટેની પણ પ્રક્રિયાઓ હાથ ધરાતાં નાણા નહીં ભરનારા તત્વો માં ફફડાટ મચી ગયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version