Home Gujarat Jamnagar જામનગર સાધના કોલોનીમાં પુત્રની દુશ્મનીમાં પિતા ઢીબાઈ ગયા : 4 નામીચા સામે...

જામનગર સાધના કોલોનીમાં પુત્રની દુશ્મનીમાં પિતા ઢીબાઈ ગયા : 4 નામીચા સામે ફરિયાદ

0

જુના મનદુખમાં બાઈકમાં તોડફોડ: નામીચા ચાર શખ્સો સામે ફરિયાદ

  • આરોપી :-દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફ દિવાલો ડોન, હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા, મુકલો સીંધી, અને અજય મહેતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ મે. ૨૩ સાધના કોલોનીમાં ક્લર કામની મજૂરી કરતા બીપીન કરશનભાઈ ઘણીદાર નામના વૃદ્ધ ઉપર નામીચા શખ્સ સહિત ચાર શખ્સો હુમલો કર્યાંનું પોલીસ ચોપડે નોંધાયું છે.પોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના સાધના કોલની વિસ્તારમાં કલર કામ કરતા બીપીન કરસનભાઈ દાણીધાર નામના 56 વર્ષના આધેડે પોતાના ઘરમાં પોતાના ઉપર લાકડાના ધોકા, દાતરડા વડેહુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાના બાઈકમાં તોડફોલ કરી નાખવા અંગે નામચીન દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફ દિવાલો ડોન, હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા, મુકલો સીંધી, અને અજ્ય મહેતા સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદીના પુત્ર પુનિત સાથે ગત રામનવમીના તહેવારના દિવસે આરોપી હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતા સાથે ઝઘડો થયો હતો, તેનું મન દુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે આરોપીઓ મારામારીના કેસમાં હજૂ જામીન પર છૂટ્યા હતા, અને ફરીથી તકરાર કરી હોવાથી સિટી એ. ડિવિઝન પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version