Home Gujarat Jamnagar જામનગરમાં સંતાનોના ઝઘડામાં માતાનો ઝેરી દવા-પી આપધાત

જામનગરમાં સંતાનોના ઝઘડામાં માતાનો ઝેરી દવા-પી આપધાત

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી સતવારા જ્ઞાતિ ની પરણીતાનો ઝેરી દવા પી લઇ આપઘાત

  • પોતાના ત્રણ સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ પોતે ઝેર પી લઈ મોતને મીઠું કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ઓગસ્ટ ૨૪ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક સતવરા જ્ઞાતિની પરણીતાએ પોતાના સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ ઝેર પીલઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડનાકા બહાર મામાના મંદિર સામે રહેતી જશવંતીબેન ઉર્ફે જયશ્રીબેન વિનોદભાઈ કટેશીયા નામની ૩૨ વર્ષની પરણીતાએ પોતાના ઘેર ગુસ્સામાં આવી જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેણીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.કે. બ્લોચે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર પરણીતાના ત્રણ સંતાનો કે જેઓ અંદરોઅંદર ઝઘડો કરતા હતા, તેથી માતાને મનમાં લાગી આવતાં ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version