Home Gujarat Jamnagar જામનગર ખીરીમાં ખુલ્લા વિજવાયરની પ્લેટને ભંગાર સમજી ઉપાડી લેતા મહિલાનું મોત

જામનગર ખીરીમાં ખુલ્લા વિજવાયરની પ્લેટને ભંગાર સમજી ઉપાડી લેતા મહિલાનું મોત

0

જોડિયા પંથકના ખીરી ગામે વીજશોક લાગતા યુવતિનું મોત

  • શ્રમિક મહિલા વાયરની પ્લેટને ભંગાર સમજી અડી જતા પ્રાણ પેખેરું ઉડી ગયું.
  • ખુલ્લા હેવી વિજ વાયર, લાઇનો, ખુલ્લી પેટીઓ ધોર બેદરકારી.! તંત્રના પાયે શ્રમિક મહિલાએ જીવ ગુમાવ્યો.!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ મે ૨૩: જામનગર નજીક જાંબુડા પાસે રહેતી અને ભંગાર વીણવાનું કામ કરતી નિર્મળાબેન વાલજીભાઈ ગોગિયા નામની 35 વર્ષની શ્રમિક યુવતી, કે જે ગઈકાલે જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલા 66 કેવી ના સબ સ્ટેશન પાસે ભૂલથી એક લોખંડ ના વાયરની પ્લેટને ભંગાર સમજીને ઉપાડવાની કોશિશ કરતાં તેણીને તેમાંથી એકાએક વિજઆંચકો લાગ્યો હતો, અને ચોટી જવાના કારણે તેણીનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે જાંબુડા માં રહેતી લક્ષ્મીબેન રમેશભાઈ ધૈયડા નામની એક મહિલાએ જોડિયા પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મૃતક યુવતીને કયા સંજોગોમાં વીજ આંચકા લાગ્યો છે, તે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version