કાલાવડ ટાઉનમાં પારેખ શેરીમાં આવેલા એક વેપારીના મકાનને ધોળે દહાડે નિશાન બનાવતા તસ્કરો
- વેપારીના પત્ની મકાન ખુલ્લું રાખીને બાજુમાં બેસવા જતાં ખુલ્લા રહેલા મકાન માંથી તસ્કરો રૂપિયા પોણા બે લાખ ની રોકડ ઉઠાવી ગયા
- કોઈ જાણ ભેદુ નું કારસ્તાન: અન્ય એક લાખની રોકડ તથા સોનાના દાગીના છોડીને તસ્કરો ચાલ્યા ગયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં પારેખ શેરીમાં એક વેપારીના ખુલ્લા રહેલા રહેણાંક મકાનને ધોળે દહાડે તસ્કરે નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. કોઈ જાણ ભેદુ તસ્કરનું કારસ્તાન હોવાનું અનુમાન કરાયું છે. કબાટમાં જ રાખેલી એક લાખની રોકડ તથા સોનાના તમામ ઘરેણા તસ્કરો છોડીને ભાગી ગયા હોવાથી બચી ગયા છે. પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
જે ફરિયાદને અનુસંધાને કાલાવડના પી.આઇ. વી.એસ. પટેલ તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વાસુદેવ સિંહ જાડેજા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઈ જાણભેદુ શખ્સ નું કારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે.
બાજુમાંથી પોતાના ઘેર પરત આવતી વખતે ઘરમાં નિરીક્ષણ કરતાં કબાટ ખુલ્લા હોવાનું અને કેટલીક રોકડ રકમ જમીન પર પડેલી હોવાનું ધ્યાનમાં આવતાં તુરતજ દેવનદાસ ભાઈ ને ઘેર બોલાવી લીધા હતા, અને મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો.