Home Gujarat Jamnagar જામનગર ગોકુલનગરમાં માથાકુટ કરવા સાથે ‘ન’ આવતા મિત્ર ઉપર છરીબાજી

જામનગર ગોકુલનગરમાં માથાકુટ કરવા સાથે ‘ન’ આવતા મિત્ર ઉપર છરીબાજી

0

જામનગરમાં ઝગડો કરવા સાથે ન જતાં યુવાન ઉપર છરી વડે કર્યો હુમલો

  • બહેન અન્ય સાથે ચાલી ગઈ હોય તેનો બદલો લેવા મિત્ર સાથે ન આવતા હુમલો કરાયો
  • ગોકુલનગર વિસ્તારનો બનાવ : આરોપી જીતેશ ઉર્ફે જેનીયો મકવાણાની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના ગોકુલનગરમાં મિત્રની બહેન અન્ય સાથે ચાલી ગઈ હોય અને તેની સાથે માથાકુટમાં સાથે ન જતા યુવાન ઉપર મિત્રએ છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગોકુલનગર રડાર રોડ શેરીનં- ૧૨માં રહેતા ઘનશ્યામસિંહ લધુભા જાડેજા (ઉ.વ.૨૮) નામના યુવાનના મિત્ર જીતેશ ઉર્ફે જેનીયો મકવાણાની બહેન કોઈ વ્યક્તિ સાથે ચાલી ગઈ છે. જેથી તેની સાથે માથાકુટ કરવા જવા માટે આરોપી જીતેશે મિત્રને કહેતાં મિત્ર ઘનશ્યામસિંહએ માથાકુટ કરવા જવાની ના પાડી હતી. જેથી આરોપી મિત્ર જીતેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મિત્ર ધનશ્યામસિંહ સાથે માથાકુટ કરવા લાગ્યો હતો અને સાથે રહેલી છરી મારી દેતાં યુવાનને લોહી નીકળવા લાગતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો.

આ બનાવની જાણ થતાં યુવાનનાભાઈ અને પિતા ત્યાં પહોંચી ગયા હતાં અને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જે અંગેની યુવાનના ભાઈ કનકસિંહ લધુભા જાડેજાએ સીટી- સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ. એમ.સીસોદીયાએ IPC ક્લમ- ૩૨૪,૫૦૪ જીપી એક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આગળ તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ આરંભી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version