જામનગરમાં ભાનુશાળી વાડમાં વહેલી સવારે રહેણાક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં અફડા તફડી
-
આગની જવાળાઓ જોઈને આસપાસના લોકો એકત્ર થયા: ફાયરે આગને કાબુમાં લીધી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ડીસેમ્બર ૨૪ જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -૬ માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસી ના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને મકાનના રસોડા ના ભાગમાં આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ દેખાતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, અને સૌ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.