Home Gujarat Jamnagar જામનગર જીલ્લામાં બે પરણિતાને સાસરીયાનો સીતમ : મામલો પોલીસ મથકે

જામનગર જીલ્લામાં બે પરણિતાને સાસરીયાનો સીતમ : મામલો પોલીસ મથકે

0

જામજોધપુર ટાઉન અને નંદાણા ગામની બે પરણીતાને સીતમ : બન્ને એ સસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૪ જામજોધપુર ટાઉન તેમજ નંદાણા ગામમાં રહેતી બે પરણેતાએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો છે. જામજોધપુર ટાઉનમાં રહેતી માધુરીબેન રવિભાઈ કવૈયા નામની ૨૩ વર્ષની લુહાર જ્ઞાતિ ની યુવતીએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે માધુરીબેનના સાસરિયાઓ પતિ રવિભાઈ વિજયભાઈ કવૈયા, તેમજ સસરા વિજયભાઈ લીલાધરભાઇ કવૈયા, સાસુ પ્રજ્ઞાબેન તેમજ નણંદ શિલ્પાબેન પ્રકાશભાઈ હરસોરા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી પૂનમબેન હરેશભાઈ કંડોરીયા નામની પરણીતા એ પણ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાસરાપક્ષના સભ્યો પતિ હરેશભાઈ ફરવાભાઈ કંડોરીયા સસરા વરવાભાઈ દાનાભાઈ કંડોરીયા તેમજ કારુભાઈ દાનાભાઈ, ભાવેશ વરવાભાઈ, બુદ્ધિબેન અરજણભાઈ, ભાનુબેન હરદાસભાઈ કંડોરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version