Home Gujarat Jamnagar જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

0

જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં રહેતા એક યુવાનને પગમાં દુખાવો રહેતો હોય તેમજ કામકાજ બરાબર ચાલતું ન હોય જેનાથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આ બનાવની પ્રાપત વિગત એવી છે કે, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલ સિન્ડીકેટ સોસાયટીની શેરી નંબર રમાં રહેતા પ્રવીણભાઈ જેન્તીભાઈ બુમતારિયા નામના ૪૦ વર્ષીય યુવાનને છેલ્લા ત્રણ–ચાર વર્ષથી પગમાં દુખાવો રહેતો હોય જેના લીધે તેમનું કામકાજ સરખુ ચાલતુ ન હોય જેથી પોતે જિંદગીથી કંટાળી જતા ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકનાભાઈ મનિષભાઈ જેન્તીભાઈ બુમતારીયાએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version