Home Gujarat Jamnagar જામનગરમાં હત્યાનું વેર વાળવા 3 વ્યક્તિ પર 6 શખ્સોએ કર્યો ખુની હુમલો

જામનગરમાં હત્યાનું વેર વાળવા 3 વ્યક્તિ પર 6 શખ્સોએ કર્યો ખુની હુમલો

0

જામનગરમાં હત્યા પ્રકરણના કોર્ટ કેસનો ખાર રાખી હત્યાનો પ્રયાસ : ચકચાર ગઇકાલ રાત્રીના ૯ વાગ્યા આસપાસનો બનાવ : અગાઉ મુસ્લિમ યુવાનની હત્યા થઈ હતી તેનો ખાર રાખી છ શખ્સો ટુંટી પડયા :સાહેદ અઝીમભાઈની હાલત નાજુક..જૂની અદાવતનો ખાર રાખી રેસ્ટોરન્ટ સંચાલક ઉપર વિમલ રમેશભાઇ તથા ભુરો ઉર્ફે આફતાબ તથા કરણ ઉર્ફે દેવો ભરવાડ તથા ફીરોઝ મહમદહુસેન તથા હસુડો ઉર્ફે અસગર તથા એક અજાણ્યો શખ્સનો હુમલો. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧ર. સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ ઓઘડભાઈ મકવાણા, ઉ.વ.પપ, રે. નાગેશ્વર રોડ, સોનાપુરી પાછળ, હરીયા ફલોરમીલની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.

સોનાપુરીથી આગળ નાગેશ્વર રોડ પર નંદા બ્રધર્સની ધવલ રેસ્ટોરન્ટ દુકાન, જામનગરમાં ફરીયાદી મનસુખભાઈના દિકરા કિશન અને લાલજી અગાઉ આરોપીના મીત્ર સાજીદના ખુનના ગુન્હામાં પકડાયેલ હોય.

જે બાબતનો ખર રાખી આરોપીઓ વિમલ રમેશભાઈ તથા ભુરો ઉર્ફે આફતાબ તથા કરણ ઉર્ફે દેવો ભરવાડ તથા ફીરોઝ મહમદહુશેન તથા હસુડો ઉર્ફે અસગર તથા એક અજાણ્યો માણસ એ ફરીયાદી મનસુખભાઈ પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે પુર્વઆયોજીત કાવત્રુ રચી રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપી દેવાએ ફરીયાદી મનસુખભાઈને પાઈપ વડે માર મારી તથા હોટલમાં તોડફોડ કરી કરતા સાહેદ અઝીમભાઈ તથા છત્રપાલસિંહ બચાવવા વચ્ચે પડતા આરોપી દેવાભાઈએ પોતાના નેફામાં રહેલ છરી કાઢી સાહેદ અઝીમભાઈને પેટના ભાગે જીવલેણ ઘા મારવા જતા સાહેદએ હાથ વચ્ચે નાખતા હાથના પંજામાં ગંભીર ઈજાઓ કરી તેમજ આરોપીઓએ સાથે મળી સાહેદ અઝીમને તલવાર કુહાડી તથા કોયતા તથા લોખંડના પાઈપ જેવા હથીયાર વડે માર મારી ફરીયાદી મનસુખભાઈ તથા છત્રપાલસિંહ વચ્ચે આવતા તેમને પણ સામાન્ય મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે  અચાનક થયેલા હુમલામાં નાસભાગ મચી જવા પામી હતી.

આથી મનસુખભાઈની ફરિયાદ પરથી પોલીસે IPC કલમ-૧૨૦ બી, ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૪૫૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version