Home Gujarat Jamnagar પતિએ માવતરે જવાની ના પાડતા પત્નિએ કરી આત્મહત્યા

પતિએ માવતરે જવાની ના પાડતા પત્નિએ કરી આત્મહત્યા

0

ધ્રોલમાં પતિએ માવતરે જવાની ના પાડતા પત્નિએ કરી આત્મહત્યા…

સાતમ-આઠમમાં તું તારા માતા-પીતાના ઘરે ગયેલ હોય જેથી અત્યારે જવુ નથી…તેમ કહેતા પત્નિને માઠુ લાગી આવતા ભર્યુ અંતિમ પગલું…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૮ જામનગર જીલ્લાના ધ્રોલમાં વાલમીકી વાસમાં રહેતા અને સફાઇ કામદાર તરીકેની ફરજ બજવતાં મનોજભાઇ બીપીનભાઇ પરમારના સાળો ભાવેશ આજ થી દશેક દિવસ પહેલા તેમના ઘરે આવેલ હોય અને તેમની પત્ની વીજયાબેનને દીવાળીનો તહેવાર કરવા તેમના માવતરે લઇ જવાનુ કહેતા તેઓએ તેમની પત્નીને કહેલ કે હમણા સાતમ-આઠમમાં તું તારા માતા-પીતાના ઘરે ગયેલ હોય જેથી અત્યારે જવુ નથી અને મે તેને જવાની ના પાડેલ હોય જે બાબતે તેમની પત્ની ને મનમા લાગી આવતા ગઇકાલે તેમના ઘરે પોતે પોતાની જાતેથી પંખાની છતમા હુંકમા ચુંદી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો

જેથી વિજયાબેનને સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં ફરજ પરના ડોકટરે તેણીને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મૃતકના પતિ મનોજભાઇ બીપીનભાઇ પરમારે પોલીસમાં જાણ કરી હતી. આ કેસની વધુ તપાસ પી.આઇ. બી.એન.પટેલ ધ્રોલ પો.સ્ટે. ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version