Home Gujarat Jamnagar જામનગરના જામજોધપુર માંથી માનવ કંકાલના અવશેષો મળ્યા

જામનગરના જામજોધપુર માંથી માનવ કંકાલના અવશેષો મળ્યા

0

જામજોધપુર પાંજરાપોળ પાસેથી મહિલાની ખોપડી મળી આવતા ખળભળાટ

  • છે એક દિવસથી વૃદ્ધા લાપતા હતા : પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી
  • જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી: અવશેષો વેરવિખેર હાલતમાં મળ્યા 
  • ઉચ્ચ અધિકારી સહિતનો પોલિસ કાફલો દોડી ગયો: અવશેષો ભેગા કરી જામનગર FSL ખાતે ખસેડયા

દેશ દેવી ન્યુઝ તા.૦૭ એપ્રિલ ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુરમાં પાંજરાપોળ પાસે માનવ કંકાલના અવશેષો મળી આવતા ભારે ચકચાર ફેલાઇ હતી જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને તપાસ આરંભી હતીસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામજોધપુરમાં પાંજરાપોળ પાસે જંગલી પ્રાણીઓએ ફાળી ખાધેલ માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં માલુમ પડેલ કે જામ જોધપુર પાજરાપોળ પાસે રહેતા કાંન્તાબેન રાઠોડ એકલવાયું જીવન જીવતા હતા અને પતિનું પંદર દિવસ પહેલા અવશાન થયું હતું વૃદ્ધાનો પરીવાર છ-એક દિવસથી શોધખોળ કરતા હતો તેવામાં પાંજરાપોળ પાસેથી ૭૦ વર્ષીય મહિલાની ખોપડી સહિતના અવશેષો મળી આવ્યા હતાપ્રાથમિક તપાસમાં જાણવા મળતા વૃદ્ધા પતિનું અવસાન થયા બાદ મહિલા એકલી રહેતી હતી અને તેમના પરિજનો બે દિવસથી મહિલાની શોધખોળ કરતા હતા પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી, આખરે એક અવાવરું કુવા પાસેથી મહિલાનો હાથ મળી આવ્યો હતો અને થોડે દુર મહિલાની ખોપડી મળી આવી હતી.

કોઈ જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી હોય તેવું પ્રાથમિક દષ્ટિએ .માનવામાં આવી રહ્યું છે, હાલ તો પોલીસે મહિલા કંકાલને જામનગર FSL માં મોકલ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે. મહિલા કંકાલને લઇ ભેદભરમ સર્જ્યો છે. FSL રીપોટ આવ્યા બાદ કંકાલ પરથી પરદો ઉચકશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version