Home Gujarat Jamnagar જામનગરના એડવોકેટની હત્યા પ્રકરણ ને લઈને વકીલો માં ભારે આક્રોશ

જામનગરના એડવોકેટની હત્યા પ્રકરણ ને લઈને વકીલો માં ભારે આક્રોશ

0

જામનગરના એડવોકેટની હત્યા પ્રકરણ ને લઈને વકીલો માં ભારે આક્રોશ: સજ્જડ હડતાળ પાડી સમગ્ર કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૪, જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા નીપજાવવાની ઘટનાના જામનગરના વકીલ મંડળ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને આજે જામનગર બાર એસિયેશનના પ્રમુખ ભરત એચ. સુવા ની આગેવાની હેઠળ તમામ વકીલો આજની અદાલતની સંપૂર્ણ પ્રકારની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે, અને બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે.અને નગર વકીલ ની હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે, અને એડવોકેટની હત્યા ના આરોપીઓને સત્વરે ઝડપી લઇ તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ વકીલ દ્વારા ઠરાવ તૈયાર કરીને જિલ્લા પોલીસવાળા લેખિત રજૂઆત કરવામાં આવી છે, આજે વહેલી સવારે તમામ સભ્યો ન્યાયાલયના પટાંગણમાં રોષ ભેર એકત્ર થયા હતા. અને હત્યા ના બનાવને વખોડી કાઢ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version