જામનગર નજીક આવેલ સરમત દરિયામાં વિશાળ માછલી માણસને ગળી ગઈ.!
જામનગર નજીક આવેલ શરમતના રસુલનગર ની ઘટના.
છેલ્લા કેટલાય સમયથી સરમતની ખાડીમાં વિશાલકાય માછલી ચડી આવેલ હોવાનું ગ્રામજનોનું કહેવું.! માણસને ગળી ગઇ હોય તેવી પ્રથમ ઘટના : ગંભીર
20 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલો યુવાન બન્યો લાપતા.!
દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર નજીક આવેલ સરમતની ખાડીમાં માછીમારી કરવા ગયેલો આદમ ઓસામણ સુંભણીયા નામનો ૪૭ વર્ષીય યુવાન છેલ્લા વીસ દિવસથી લાપતા બની જતા પરિવાર ચિંતામાં ગરકાવ.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દરિયાની અંદર કોઈપણ વ્યક્તિ ડૂબી જાય તો તેની લાશ બે-ત્રણ દિવસની અંદર કાંઠેથી મળી રહેતી હોય છે પરંતુ આમદની બોડી કે અવશેષો આજ દિવસ સુધી મળ્યા નથી
હાલ લાપતા બનેલા યુવાનને પરીવારમાં ૬ સંતાનો છે. અને માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.