Home Gujarat Jamnagar જામનગર સર્મપણ સર્કલ પાસેથી રીક્ષાની ઉઠાંતરી : ભારે કરી

જામનગર સર્મપણ સર્કલ પાસેથી રીક્ષાની ઉઠાંતરી : ભારે કરી

0

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરેલી એક રીક્ષાની ચોરી થઈ ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪ જામનગરમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯’ નહેરુનગર શેરી નાં ૧૦ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નટવરલાલ નાનજીભાઈ પરમારે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલયની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કરો રૂપિયા ૪૦ હજારની કિંમતની રીક્ષા ની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version