Home Gujarat Jamnagar હાયરે અંધશ્રદ્ધા : જામનગર જઘન્ય કૃત્યનો આરોપી જેલ હવાલે

હાયરે અંધશ્રદ્ધા : જામનગર જઘન્ય કૃત્યનો આરોપી જેલ હવાલે

0

હજામચોરા ના જઘન્ય કૃત્યના આરોપી ની ધરપકડ: જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગર ધ્રોલના હજામચોરા ગામમાં અંધશ્રદ્ધા થી પ્રેરાઈ ને એક સગીરા ની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. તે ગુન્હામાં પોલીસે મૃતક સગીરા ના સગા મોટાભાઈ અને બહેન ની અટકાયત કરી હતી. આરોપી મોટાભાઈને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. ઉપરાંત તેની નાની બહેન કે જેની ઉંમર પણ પુખ્ત વયની હોવાથી ધ્રોલ પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.ધ્રોલના હજામચોરા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના રાકેશ છગનભાઈ તડવી નામના શખ્સે પોતાની બે બહેનો સાથે બિપીનભાઈ બારૈયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ શરૃ કર્યું હતું. તે પછી રાકેશ અને તેની નાની બહેનને સૌથી નાની બહેન અપશુકનિયાળ હોવાની શંકા ઉપજી હતી અને શારદા જીવતી રહેશે તો તેની મુશ્કેલી આવતી હતી તેમ માની રાકેશ તથા તેની બહેને લાકડી, છરીથી હુમલો કરી નાની બહેન શારદા ની કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે રાકેશ તથા તેની બહેનની અટકાયત કર્યા પછી રાકેશને ડિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાવતા તેને જે હવાલે કરાયો છે. તેમાં તેની નાની બહેન પણ પુખ્ત વયની હોવાથી ધ્રોલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version