Home Gujarat Jamnagar જામનગર : તે મારી જીંદગી બરબાદ કરી નાખી : તેમ કહી યુવાનને...

જામનગર : તે મારી જીંદગી બરબાદ કરી નાખી : તેમ કહી યુવાનને દુકાનના શટર બંધ કરી લમધાર્યો

0

જામનગરમાં વાણંદ યુવકને દુકાનમાં શટર બંધ કરીને લમધાર્યો

  • સંબધીની પત્નિ સાથે મિત્રતા કેળવી, વાતચીત ભારે પડયો.
  • તે મારી જીંદગી બરબાદ કરી નાખી તેમ કહી યુવાનને ઢીબી નાખ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ ઓગસ્ટ ૨૩ જામનગર શહેરના રણજીતનગર વિસ્તારના નંદનવન પાર્ક શેરી બ્લોક નં-૧૨૬/૪માં રહેતા અને મેહુલનગરની દેવપાર્ક સોસાયટી આનંદ હેર પાર્લર નામથી દુકાન ચલાવત કેતનભાઇ ગુણવંતભાઇ મારૂ નામના યુવાનને બે શખ્સોએ પુજા નામની મહિલા સાથે વાત કરવા બાબતે દુકાનમાં ધૂસી, શટર બંધ કરીને બેફામ મરણતોલ માર મારતા યુવાનને જી.જી હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો.

પોલીસ સુત્રમાંથી જાળવા મળતી માહિતી મુજબ મેહુલનગર વિસ્તારમાં આનંદ હેર પાર્લર નામથી દુકાન ચલાવતા કેતન મારૂ નામના યુવાનને તેના સંબધી ભરતભાઇ અધેડાના પત્ની પુજાબેન સાથે મિત્રતાનો સંબધ હોય અને વાતચીતનો વ્યવહાર હોય તે પુજાબેનના પતિ ભરત અધારાને પસંદ ન હોય તે બાબતનું મનદુખ રાખી તા-૧૭/૦૮/૨૦૨૩ ના સવારના નવેક વાગ્યાની આસપાસ કેતન મારૂ પોતાની દુકાને હાજર હતો ત્યારે તેના સબંધી ભરત ત્રીભોવનભાઇ અધેડા તથા તેનો મિત્ર બીપીન મારી દુકાનમાં આવી અને દુકાનનો દરવાજો અંદરથી બંધ કરી મનફાવે તેમ જાપટો , ઢીકાપાટુનો માર મારી બેફામ ગાળો કાઢી મરણતોલ માર મારતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને તાત્કાલિક તેના બનેવીની મદદથી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેને હાથ અને માથાના ભાગ ફ્રેકવર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

આથી સીટી-સી પોલીસે કેતન મારૂની ફરીયાદ પરથી ભરત અધેરા અને બિપીન નામના શખ્સ વિરૂદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૨૫, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેની શોધખોળ આદરી છે.હાલ તો આ મુદ્દે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version