Home Gujarat Jamnagar જામનગરની મનપામાં મામલતદાર બન્યા આસી.મ્યુ કમિશ્નર… અને કમિશ્નર બન્યા ચાણક્ય

જામનગરની મનપામાં મામલતદાર બન્યા આસી.મ્યુ કમિશ્નર… અને કમિશ્નર બન્યા ચાણક્ય

0

જામનગર મનપાના AMCનો ચાર્જ મધ્યાહન ભોજનના મામલતદાર પંડયાને સોંપ્યો. 

ભારે વિવાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે કમિશનર બન્યા ચાણક્ય.દેશ દેવી ન્યુઝ જામનગર 03.જામનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડો.ભાર્ગવ ડાંગરની અમરેલી ખાતે બદલી થતાં તેમની જગ્યા ૫૨ કોઈની નિમણૂંક ન થતાં ચાર્જ મેળવવા માટે મહાપાલિકામાં ધમાસાણ મચ્યું હતું અને ભારે વિવાદ ઉભો થયો હતો.

રાજકીય ભલામણ વચ્ચે જેમાંથી વચલો રસ્તો કાઢી કમિશનરે મધ્યાહન ભોજનના મામલતદારને એએમસીનો ચાર્જ આપી આખાપ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું છે . જામનગર મહાપાલિકાના આસી . મ્યુનિ . કમિશનર ભાર્ગવ ડાંગરની અમરેલી બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર કોઈ નિમણૂંક ન થતાં એએમસીનો વહીવટ અને ટેક્સનો ચાર્જમેળવવા માટે મહાપાલિકાના બે અધિકારીઓ વચ્ચે ભારે હોડ જામી હતી જેમાં રાજકીય આગેવાનોએ પણ રસ લઈ પોતાના માનીતાઓને ચાર્જ આપવા માટે તમામ દાવ અજમાવી લીધા હતા, પરંતુ મ્યુનિ . કમિશનર વિજય ખરાડીએ બુદ્ધિપૂર્વક તમામ અધિકારીઓના નામ પર ચોકડી લગાડી મધ્યાહન ભોજનના મામલતદાર પંડ્યાએ એએમસીનો ચાર્જ આપી પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version