જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતાં ભારે દોડધામ
-
કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો, કાગળો, ઓફિસનો સામાન વગેરે બળીને ખાખ થયો:ફાયરે આગ બુઝાવી
-
જે સ્થળે આગ લાગી તેના ઉપરના માળે ટ્યુશન ક્લાસ ચાલતો હતો: સદભાગ્ય જાનહાની ટળી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જુલાઈ ૨૪, જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) ની કચેરીમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઈલો બળી ને ખાખ થઈ ગયા છે. હાયર શાખાની ટુકડીએ પાણીના બે ટીમ કરો વડે સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. કચેરીની ઉપર જ ટ્યુશન ક્લાસ ચાલતો હતો, પરંતુ આગ સમયસર કાબુમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ કર્મચારી કચેરીમાં હાજર ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.ઉપરાંત આ બિલ્ડિંગમાં એક ટ્યુશન ક્લાસ પણ ચાલે છે, જે સવારે બંધ હતુ, નહીંતો તેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. આગ ઘટનાની તપાસ હાલ ચાલુ છે, અને નુકસાનનું વર્તમાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.પોલીસ તંત્ર દ્વારા આગના બનાવ ના સંદર્ભમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને એફ એસ એલ ની ટીમ ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.