Home Gujarat Ahmedabad રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે

0

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આવતીકાલ તા.૨૦ અને તા.૨૧ ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ ફેબ્રુઆરી ૨૪ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આવતીકાલ તા.૨૦ ફેબ્રુઆરી અને તા.૨૧ ફેબ્રુઆરીના રોજ બે દીવસ સુધી જામનગરની મુલાકાતે છે.રાજ્યપાલશ્રી તા.૨૦ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪:૦૦ કલાકે જામનગર એરપોર્ટ ખાતે પધારશે. ત્યાંથી તેઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત સખી મંડળો, શિક્ષકો અને યોગ શિક્ષકો સાથેના પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ આઈ.એન.એસ. વાલસુરા જવા રવાના થશે. તા.૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૮:૦૦ વાગ્યે રાજ્યપાલશ્રી આઈ.એન.એસ. વાલસુરામાં આયોજિત અગ્નિવીર પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version